અમદાવાદખાતે જીલ્લા કક્ષાની ઉજવણી વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાઇહતી. આ પ્રસંગે તેમણે વૃક્ષારોપણ કરવા ઉપરાંત કોરોના પ્રતિકાર વર્ધક રથનુંપ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી ત્રિવેદીએ રાજ્યમાં નદી કાંઠે 25 લાખ જેટલા વૃક્ષોવાવવાના આયોજન બદલ વન વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
આપ્રસંગે ઉપસ્થિત શ્રી ભવાનભાઇ ભારવડે કોરોના પ્રતિકાર વર્ધક રથ વિશે માહિતી આપતાંજણાવ્યું કે, વન વિભાગ દ્વારા નિર્મિત આ રથમાંકુંવરપાઠુ, સતાવરી, અરડૂસી, તુલસી, જેવા ઔષધિય છોડના રોપાનો સમાવેશ થાય છે. આ રથ અમદાવાદનાકેટલાકવિસ્તારોમાં આ રોપાઓનું નિઃશુલ્કવિતરણ કરશે.
સુરેન્દ્રનગરનાલીંબડી ખાતે રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે વૃક્ષારોપણ દ્વારા જીલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઇ. આ પ્રસંગે વૃક્ષારોપણ ઉપરાંત વૃક્ષરથનં પ્રસ્થાનપણ કરાવાયું.
ભાવનગરખાતે આયોજીત કાર્યક્રમમાં મેયરશ્રી મનહરભાઇ મોદીએ વૃક્ષારોપણમાં ભાગીદાર બનીજાગૃતિ કેળવવા નાગરિકોને અપીલ કરી હતી. ભાવનગરનો જીલ્લાકક્ષાનો વન મહોત્સવઆવતીકાલે ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામે યોજાશે. મંક્ષી શ્રી વિભાવરીબેન દવે અનેસાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરશે.
અરવલ્લીજીલ્લાનો 71 મો વન મહોત્સવ ભિલોડાના માંધરી ખાતે યોજાયો. આ પ્રસંગે મંત્રીશ્રીરમણલાલ પાટકરે જળ, જંગલ અને જમીનના સંવર્ધનથી પ્રકૃતિનુંરક્ષણ કરી શકાય છે તેમ જણાવ્યું હતું.
નવસારીજીલ્લા કક્ષાનો વન મહોત્સવ ચીખલી તાલુકાના કુંકેરી ખાતે યોજાયો હતો.
અમરેલીજીલ્લાનો જીલ્લાકક્ષાનો વન મહોત્સવ ચલાળા ખાતે યોજાઇ ગયો. આ પ્રસંગે ઉપસ્થિત અન્નનાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ વૃક્ષ વાવેતર અને વન સંપદાઓનામહત્વ વિશે જનજાગૃતિ કેળવવા પર ભાર મુક્તા વન પર્યાવરણની સમતુલા જાળવવા હાથ ધરાઇરહેલા પગલામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પર્યાવરણ પ્રમીઓ તથાવનકર્મિઓને સન્માનિત કરાયા હતા તથા લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા તેમજ શ્રમયોગીઓનેવાસણકીટનું વિતરણ કરાયું હતું.
સુરતશહેરના ૭૧માં વન મહોત્સવની ઉજવણી મેયરશ્રીજગદીશભાઈ પટેલે વૃક્ષોરોપણ કરીને કરી હતી.
આવેળાએ મ્યુ.પદાધિકારીઓ, અધિકારીઓના હસ્તે તુલસી તથા રોગપ્રતિકારક અને શકિતવર્ધક ઔષધિય વેલ ગળોના રોપઆ સહિત જાસુદ, લીમડો, કરણ, કાજુ, બીલીપત્ર, ગુલમહોર, ટગર, ટેકોમા, હેમેલીયા, કચનાર, ગરમાળો વગેરે વિવિધ પ્રકારના ૬૫૦ રોપાઓનું નગરજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.
કચ્છના71 મો વન મહોત્સવ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં અબડાસા ખાતેયોજાયો હતો.
સાબરકાંઠાજીલ્લા કક્ષાનો વન મહોત્સવ પ્રાંતિજ તાલુકાના શ્રી ઉમાધામ ખાતે યોજાયો હતો. જેમાંવૃક્ષારોપણ બાદ તરૂરથને પ્રસ્થાન કરાવાયું હતું. (AIR NEWS)