મહીસાગર જીલ્લામાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ કરાઈ છે.
હાલ કમોસમી વરસાદના કારણે નુકસાન થયું હતું તેમજ ઉભા પાકમાં પાણીના કારણે અનાજમાં કાળા અને જીણા દાણા થતાં વેપારીઓ દ્વારા અનાજ ખરીદી કરવામાં આવતી ન હતી.
જોકે સરકાર દ્વારા નજીકના માર્કેટિંગમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું નક્કી કરતા હાલ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે તેમજ નજીકના ખેતીવાડી માર્કેટિંગમાં 30 માર્ચ સુધી નોંધણીની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં જીલ્લાના લુણાવાડા,ખાનપુર,કડાણા,બાલાસિનોર અને વીરપુર માર્કેટિંગ યાર્ડમાં રજીટ્રેશન શરૂ કરાયું,જેમાં જીલ્લાના 24 હજાર ખેડૂતોને લાભ મળશે. (AIR NEWS)