મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભૂગર્ભ ગટર યોજનાના પ્રથમ તબક્કાનું ઇ-ખાતમુહુર્ત કર્યું. 124 કિલોમીટર લાંબી આ ભૂગર્ભ ગટર યોજના 69 કરોડ 84 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યુ હતું કે રાજ્યની બધી જ મ્યુનિસિપાલટીમાં ભૂગર્ભ ગટર યોજના, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ૧૦૦ ટકા નલ સે જલ જેવુ માળખું ઊભું કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે.
આ પ્રસંગે તેમણે ૧૮ કરોડના ખર્ચે નિર્મિત ૧૩૮ રૂમના કુમાર છાત્રાલયનું લોકાર્પણ, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના અંતર્ગત ૨ કરોડ , ૯૯ લાખના નવા ભવન અને ૧ કરોડ ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલા ઘેટા બકરા સેવા કેન્દ્રનો પણ આરંભ કરાવ્યો હતો. (AIR NEWS)