રસીકરણ અભિયાન અંતર્ગત દેશે 100 કરોડ રસીનો લક્ષ્યાંક હાંસલ કરીને ઈતિહાસ રચ્યો છે. આ લક્ષ્યાંક કોવિડ 19 વિરોધની લડાઈમાં આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ ઉપરાંત રાત-દિવસ કામ કરી રસીકરણની કામગીરીને સરળ બનાવનાર ફ્રન્ટલાઈન વર્કસની કામગીરીને બિરદાવવા સમાન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 100 કરોડ રસીની સિદ્ધિ હાંસલ કરવા બદલ શુભેચ્છા આપી અને ડોક્ટર, નર્સ અને આ સિદ્ધિ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો. એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું કે, ભારતે ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે, સમગ્ર દેશ વિજ્ઞાન, ઉદ્યમ, 130 કરોડ ભારતીયો સામુહિક પ્રયાસના વિશ્વનો સાક્ષી બન્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોવિડ રસીકરણમાં 100 કરોડનો લક્ષ્યાંક પાર કરવા પર લોકોને શુભેચ્છા આપતા એક ટ્વિટમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે આ સિદ્ધિ હાંસલ થઈ છે.
ઉલ્લેખનિય છે કે, 100 કરોડ રસીકરણમાં લગભગ 30 કરોડ લોકોને બંને ડોઝ મળી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 48 લાખથી વધુ લોકોને કોવિડ વિરોધી રસી અપાઈ. છેલ્લા 24 કલાકમાં 18 હજાર 454 નવા કેસ નોંધાયા છે, તો 17 હજાર 561 લોકો કોરોનાની સારવાર લઈને સાજા થયા છે.
કોરોનાથઈ સાજા થવાનો દર 98.15 ટકા થયો છે. (AIR NEWS)