રાજય સરકારે રાજકોટ મહાનગરમાં ૧૪મી મે થી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપી છે. મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિની કુમારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે જીલ્લા કલેકટર યોગ્ય શરતો નક્કી કરીને મંજૂરી આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, ઉદ્યોગ – ધંધા શરૂ કરનારા એકમો – લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સીંગ, ફરજીયાત માસ્ક, કામદારોનું આરોગ્ય પરીક્ષણ, કામના સ્થળને ડિસઇન્ફેકટ કરવુ તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન – અને ભોજનની સેવાનું પાલન કરવું પડશે. (AIR NEWS)