રાજય સરકારે સોમવાર –ર૬મી જુલાઇથી શાળાઓમાં ધોરણ ૯ થી ૧૧ માં વર્ગખંડમાં શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગઇકાલે યોજાયેલી કોર સમિતિની બેઠકમાં કોવીડના ઘટતા કેસોને ધ્યાનમાં લઇને, આ નિર્ણય લેવાયો હતો.
શાળાના વર્ગો પ૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. વર્ગમાં અભ્યાસ કરવા આવનારા વિદ્યાર્થીએ વાલીનું સંમતીપત્રક લાવવાનું રહેશે તથા વર્ગખંડમાં વિદ્યાર્થીની હાજરી મરજીયાત રહેશે.
એવી જ રીતે શાળાના સંચાલકોએ કોરોના નિયંત્રણની માર્ગદર્શિકાનું પાલન થાય, એ બાબત સુનિશ્ચિત કરવાની રહેશે. કોર સમિતિએ ઓનલાઇન શિક્ષણ કામગીરી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. (AIR NEWS)