રાજયના નવ મહાનગરોની શાળાઓમાં આજથી મધ્યાહ્ન ભોજન યોજનાનો આરંભ થશે. શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી આવતીકાલે ગાંધીનગરના બોરીજથી મધ્યાહન ભોજન યોજનાનો આરંભ કરાવશે.
અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ભૂજ, વડોદરા, જામનગર, નવસારી, સુરત અને ગાંધીનગરથી મધ્યાહન ભોજન યોજનાનો આરંભ થશે. જયારે રાજ્યની બાકી તમામ શાળાઓમાં આવતા ગુરુવારથી મધ્યાહન ભોજન યોજનાનો ફરીથી પ્રારંભ થશે.
મધ્યાહન ભોજન અંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે મધ્યાહન ભોજન થકી વિધ્યાર્થીઓમાં સમૂહ ભોજન સાથે સાથે સમૂહ ભાવ પેદા થાય છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોરોના કાળમાં બાળકોમાં પોષણની ઉણપ ના રહે તે માટે સરકારે 1300 કરોડની રકમ શાળામાં ભણતાં બાળકોના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા અને 2 લાખ 26 હજાર મેટ્રિક ટન અનાજ આજ દિન સુધીમાં આપવામાં આવ્યું છે. (AIR NEWS)