મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ માંડ્યો છે અને એસીબીને મજબૂત કરી, વચેટિયાઓને નાબૂદ કરી, ઑનલાઇન વહીવટ કરીને ભ્રષ્ટાચાર નાથવા પ્રયાસ.કરવામાં આવી રહ્યા છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની પ્રજાને સંબોધન કરતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં ચાર આધારસ્તંભો પર ગુજરાત સરકાર ચાલે છે: તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર પરની ટ્રેપ અને એસસીબીનાં દરોડાનો પણ વ્યાપ વધાર્યો છે., ભ્રષ્ટાચાર રોકવો હશે તો કડકમાં કડક વ્યવસ્થા બનાવી પડશે.
પોતાની સરકારની કામગીરી અંગે વાત કરતાં શ્રી રૂપાણીએ કહ્યું કે સરકાર દ્વારા સૌ પ્રથમ એન્ટિ કરપ્શનને મજબૂત બનાવ્યુ છે. સરકાર દ્વારા એક મોટી ટિમ બનાવાઇ છે અને સીબીઆઈની જેમ લિગલ એડવાઇઝર્સ પણ રાખ્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસ્ટમને સુધારવાના પ્રયત્નો કર્યા છે. આપણે સૌ પ્રથમ મહેસૂલમાં આખી ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરી છે જેથી બિનખેતી દસ્તાવેજ કરાવામાં થતો ભ્રષ્ટાચાર ઓછો થયો છે. (AIR NEWS)