રાજ્યભરમાં આજે નંદ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. કૃષ્ણજન્મની વધામણી સ્વરૂપે વૈષ્ણવ મંદિરો અને હવેલીઓમાં આજે ખાસ ઓચ્છવનાં આયોજન થયાં છે. આ ઉપરાંત ઇસ્કોન મંદિર અને અન્ય મંદિરોમાં પણ ખાસ પ્રસાદ ધરાવવાના તથા અન્નકૂટના ભોગ ધરાવવામાં આવ્યા છે.
યાત્રાધામ દ્વારિકામાં દ્વારીકાધીશને અને ડાકોરના રણછોડરાયને મંગળા આરતી બાદ ભોગ ધરાવવામાં આવ્યા હતા. ભક્તજનોની મોટી ભીડ ઠેર ઠેર ઉમટી છે અને પારણામાં નંદલાલને ઝુલાવીને દર્શનનો લાભ લઇ રહ્યા છે. શામળાજી ખાતે કાન્હાને પારણે ઝુલાવવા માટે ભક્તો વહેલી સવારથી જ પહોંચ્યા છે. ચાંદીના પારણામાં પધરામણી કરાઇ હતી અને ભક્તોએ તેમને ઝુલાવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી ગુંજી ઉઠયું હતું (AIR NEWS)