૮૦લાખથી વધુ બાળકોને પોલિયોથી સુરક્ષિત કરવાના પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીએઆરંભ કર્યો છે. આ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં ૫ વર્ષ સુધીની વયના બાળકોને આવરીલેવાશે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૩૩ હજાર ૬૪૧ બૂથ અને ૬૭ હજાર ૨૮૨ ટીમદ્વારા કુલ મળીને ૧ લાખ પ૩ હજાર આરોગ્ય કર્મીઓ આ અભિયાનમાં સેવા આપવાના છે.શ્રીરૂપાણીએ જણાવ્યું કે,બાળકોનાસર્વગ્રાહી આરોગ્ય રક્ષણ માટે ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ અન્વયે પંચગુણીરસી આપવામાં આવે છે. વ્યાપક રસીકરણથી ડીપ્થેરીયા, ધનુર, ઝેરી કમળો, ઊટાટીયું, ઇન્ફલ્યુએન્ઝા જેવા રોગથી બાળકનુંરક્ષણ કરવાનો કાર્યક્રમ વ્યાપક બનાવ્યો છે. સ્વસ્થ ગુજરાત–પોલિયોમુકત–તંદુરસ્ત ગુજરાત માટે દરેક માતા-પિતા પવર્ષ સુધીના બાળકને પોલિયો રવિવારે બે ટીપા અવશ્ય પીવડાવે તેવી અપીલમુખ્યમંત્રીશ્રીએ કરી હતી. આ અવસરે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, પાટનગરના મેયર શ્રીમતી રીટા બહેન પટેલપણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળનિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં પોલિયાના ટીપા પોતાના ભૂલકાઓને પીવડાવવા માતાઓઅને વાલીઓ ઠંડી વચ્ચે પણ મોટી સંખ્યામાંઆવ્યા હતા. (AIR NEWS)