રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં એસટી બસ સેવાફરી શરૂ કરાતા છેલ્લાં એક અઠવાડિયામાં રાજ્યભરમાં બે લાખ, 63 હજાર, 129 મુસાફરોએએસટી સેવાનો લાભ લીધો છે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે કે, હાલ રાજ્યનાપાંચ ઝોનમાં સવારના 8 થી સાંજના છ વાગ્યા સુધીમાં એસટી બસ સેવા ઉપલબ્ધ છે. દરેક બસટ્રીપ પૂરી થતાં સેનેટાઇઝ કરીને બીજી ટ્રીપમાં ઓપરેટ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત પ્રવાસ વખતે સામાજિક અંતરનુંપાલન કરવું, માસ્ક પહેરેલો હોય તો જ એસટી બસ સ્ટેન્ડ કે બસમાં મુસાફરી માટે પ્રવેશ આપવો, તમામ મુસાફરોના હાથ સેનેટાઇઝરની મદદથી સાફ કરવા જેવા નિયમોનું પાલન કરવામાંઆવી રહ્યું છે. શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે, હાલના તબક્કે અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં એસટી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. (AIR NEWS)