રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર વધીને ૮૪.૪૨ ટકા થયો છે અને કોવિડ-૧૯થી મૃત્યુ પામનારાનો દર ઘટીને ૨.૬૫ ટકા જેટલો નીચો ઉતરી ગયો છે.
અમને ગઇકાલ સાંજ સુધીની મળેલી માહિતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં વધુ એક હજાર ૩૨૧ દર્દી સાજા થઈ ગયા હતા અને તેમને રજા આપવામાં આવી હતી. તે સાથે કોવિડ-૧૯થી સાજા થનારની સંખ્યા વધીને એક લાખ છ હજાર પાંચસો બાર પર પહોંચી છે.
ગઇકાલે વધુ એક હજાર ૪૦૨ નવા પોઝિટિવ કેસ મળ્યા હતા. તે સાથે રાજ્યમાં સંક્રમિતોનો કુલ આંક એક લાખ 26 હજારથી વધારે થયો છે. જોકે, હોસ્પિટલો કે ઘરે માત્ર 16 હજાર 304 દર્દી જ હાલ સારવાર લઈ રહ્યા છે. (AIR NEWS)