રાજ્યમાં કોરોનાના કેસ બમણા થવાનો દર અગાઉ 16 દિવસ હતો તેવધીને 24.84 દિવસનો થયો છે. ગઈકાલે કોરોનાના વધુ 410 દર્દીઓ સાજા થતાં તેમને રજાઅ પાઈ છે.જેમાં સૌથી વધુ 327 દર્દીઓ અમદાવાદ જિલ્લામાં સાજા થયા છે.ત્યાર પછી સુરતમાં 30, વડોદરામાં 11, પાટણમાં 8, ભાવનગરમાં 6, સુરેન્દ્રનગરમાં 5,દાહોદ, ગાંધીનગર અને વલસાડમાં 4-4, ખેડામાં 3, મહેસાણામાં -2 તથા અરવલ્લી,ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ, પંચમહાલ અને રાજકોટ જિલ્લામાં દરેકમાં 1-1 દર્દી સાજાથતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
રાજ્યમાં કોરોનાના નવા 376 કેસ ગઈકાલે નોંધાયા છે, જેમાં સૌથીવધુ 256 કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના હાલ છ હજાર, 720એક્ટિવ કેસો છે.આ પૈકી છ હજાર, 628 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 92 જણા વેન્ટીલેટર ઉપર છે. ગઈકાલે વધુ 23 લોકોના મોત નીપજતા કોરોનાના લીધે મૃત્યુ પામનારનો આંક વધીને 938 થયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના એકલાખ, 93 હજાર, 863 ટેસ્ટ કરવામાં આવ્યા છે. (AIR NEWS)