રાજ્યમાંકોરોનાનાં કેસોમાં એક હજાર 500થી ઓછા નોંધાયા છે. છેલ્લાં ચોવીસ કલાકમાં 372 કેસનાં ઘટાડા સાથે નવાં એક હજાર 274 કેસ નોંધાયા છે. જ્યારે ત્રણ હજારને 22 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં ગઈકાલે તેરદર્દીઓના કોરોનાનાં કારણે મૃત્યુ થયા છે. કોરોનાથી સાજા થવાનો દર 97.94 ટકા થયો છે.
દરમ્યાનરાજયમાં હાલ કુલ એક્ટીવ કેસની સંખ્યા ચૌદ હજાર 211 છે. જેમાંથી 14 હજાર 108 ની સ્થિતી સ્થિર છે. અને 103 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. છોટાઉદેપુર, ભાવનગર, અને પોરબંદરમાં ગઈકાલે કોરોનાનો નવા કેસનોંધાયા નથી. રાજ્યમાં રસીકરણ અભિયાન અંતર્ગ ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ78 હજાર 107 એ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. (AIRNEWS)