રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો આજથી આરંભ થયો છે. પ્રાથમિક શાળાઓમાં 11 માસ બાદ છ થી આઠ ધોરણના બાળકો શાળાએ પહોચ્યા છે. શિક્ષણવિભાગે બી.આર. સી મારફત તાલુકા કક્ષાએ શાળાના આચાર્ય સાથે બેઠક યોજી કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા સુચના આપી છે. કોરોના મહામારીના કારણે શાળાઓમાંશિક્ષણકાર્ય બંધ હતું. પરંતુ શિક્ષણ વિભાગે એક માસ અગાઉ પ્રથમ માધ્યમિક અનેઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે અભ્યાસ શરૂ કર્યો છે.
માધ્યમિક અનેઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખોલવાના નિર્ણયમાં શિક્ષણ વિભાગ સફળ થતાં હવે આજથી ધોરણ 6 થી 8નાછાત્રોને શાળાએ અભ્યાસ માટે બોલાવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકાકક્ષાએબી.આર.સી.ની મારફત શાળાના આચાર્ય સાથે ઓનલાઈન બેઠક યોજી હતી. તમામ છાત્રોને વાલીના સંમતિપત્ર સાથે શાળાએ બોલાવાયા હતા અને તેમાં સંમતિ જાહેર કરતાં બાળકોને શાળાએબોલાવાયા છે. કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને શાળાએ આવવા દબાણ કરશે નહી.
જિલ્લાની પ્રાથમિક શાળામાં હજુ ધોરણ 1 થી 5નુંશિક્ષણ કાર્ય બંધ છે. તેવા સમયે હવે શાળામાં અન્ય કલાસ ખાલી છે. ધોરણ 6 થી 8નાછાત્રોને જુદા જુદા કલાસમાં બેસાડી એક જ પાળીમાં અભ્યાસ કરાવાશે (AIR NEWS)