રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ વ્યકિતઓ, સંસ્થાઓ, રાજયો અને જીલ્લાઓને તેમની ઉત્કૃષ્ટ સિધ્ધિઓ અને વિકલાંગ વ્યકિતઓના સશકિતકરણ તરફ કામ કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોકટર વિરેન્દ્ર કુમાર સમારોહની અધ્યક્ષતા કરશે. મંત્રાલય દર વર્ષે વિકલાંગ વ્યકિતઓના સશકિતકરણ માટે ઉત્કૃષ્ટ સિધ્ધિઓ અને કાર્ય માટે પુરસ્કારો એનાયત કરે છે. વર્ષ ર૦ર૧ અને ર૦રર માટે વિકલાંગ વ્યકિતઓના સશકિતકરણ માટેના રાષ્ટ્રીય પુરસ્કારો, સર્વશ્રેષ્ઠ દિવ્યાંગજન, શ્રેષ્ઠ દિવ્યાંગજન અને શ્રેષ્ઠ દિવ્યાંગ બાળ અને બાલિકા સહિત વિવિધ શ્રેણીઓ હેઠળ આપવામાં આવશે. (AIR NEWS)