રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ગઇકાલે દમણમાં જુદી-જુદી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું.
રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે દમણમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ નવા આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદઘાટન કર્યું. હાલમાં આ યોજના હેઠળ છ આરોગ્ય અને સ્વાસ્થ્ય કેન્દ્રો દમણમાં કાર્યરત છે.
આ ઉપરાંત ગઇ સાંજે રાષ્ટ્રપતિએ દમણ જેટ્ટી થી જમ્પોર વચ્ચેનો સી – ફ્રન્ટ રોડનું પણ લોકાર્પણ કર્યું.
દમણ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યુ છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીનું એકત્રીકરણ થવાથી વિકાસલક્ષી આયોજન વધુ સારું બનશે અને એકંદરે લોકોની સુખાકારીમાં વધારો થશે.
જનસેવા ને લગતા અનેક પ્રોજેકટનું મંગળચરણ કરાવતા તેમણે ઉમેર્યું હતું કે દમણ દીવ ના તમામ ગામ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર થઈ ચૂક્યા છે તે બાબત દર્શાવે છે કે અહીંના લોકો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ ધરાવે છે. (AIR NEWS)