જાણીતા હિન્દી ફિલ્મ અભિનેતા દિલીપકુમારના પાર્થિવ દેહના આજે સાંજે મૂંબઈમાં જુહૂ કબ્રસ્તાન ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આજે સવારે તેમનું હિન્દુજા હોસ્પિટલમાં અવસાન થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત રાજકીય અને ફિલ્મ જગતના મહાનુભાવોએ તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત સમાજના વિવિધ વર્ગોમાંથી અભિનેતા દિલિપ કુમારને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી (AIR NEWS)