વંદે ભારત મિશન હેઠળ, કોવિડનાં લીધે ઉભી થયેલી પરિસ્થિતીમાં વિદેશમાં અટકવાયેલાં 15 લાખ 42 હજારથી વધુ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે ગઈકાલે પત્રકારોને આ મુજબ જણાવ્યું હતું.
ગત બાવીસમી સપ્ટેમ્બર સુધીમાં 24 દેશોમાંથી 630 આંતરરાષ્ટ્રીય અને 142 ફીડર ફલાઈટોની મદદથી અંદાજે એક લાખ 24 હજાર ભારતીયો પાછા ફર્યા છે.
હાલા વંદે ભારત મીશનનો છઠ્ઠો તબક્કો ચાલી રહ્યો છે, જે 30મી સપ્ટેંમ્બર સુધી ચાલશે. (AIR NEWS)