A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું

News

દરમિયાન કોંગ્રેસે આ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. બજેટ અંગે પ્રતિભાવ આપતા ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, આ બજેટથી અટકી પડેલ વિકાસને ગતી મળશે તેવી ગુજરાતની અપેક્ષા હતી પણ તેમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા તેમને ખેતપેદાશોના યોગ્ય ભાવ અપાવવામાં સરકારની ઇચ્છા શક્તિનો બજેટમાં અભાવ જણાય છે. તેમણે કહ્યું કે, જીએસટી અને અન્ય કરવેરાની સમસ્યાનો ઉકેલ બજેટમાં લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે તેવું જણાય છે. (AIR NEWS)

1513 Days ago