મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ આજે લીંબડી રાજકોટ હાઇવે ઉપર વસ્તડી ગામ ખાતે શ્રી ભગવાનરામ ગુરુ ઉત્તમ વિહારધામ નું ઉદ્ઘાટન અને ભવ્ય તીર્થંકર જિનાલય નું ભૂમિ પૂજનકર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, આપણું ગુજરાત અહિંસક ગુજરાત છે, સરકાર દ્વારા પશુઓ માટે સબસીડીમાંવધારો કરવામાં આવ્યો, પક્ષીઓ માટે કરુણા અભિયાન ચલાવવામાંઆવ્યું એમ દરેક જીવોને અભયદાન મળે તે દિશામાં આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે ધર્મની રક્ષા કરતાસંતો માટે વિહાર ધામ ઉભુ કરાયુ તે ખૂબ સારી વાત છે. સાધુ-સંતો અને પગપાળા જતાયાત્રિકો માટે પગદંડી બનાવવાના પ્રોજેક્ટ શરૂ કરાયા છે જે પૂર્ણતાના આરે છે. આ પ્રસંગે પશુપાલન વિભાગના મંત્રીશ્રીકુંવરજીભાઈ બાવળીયા, સંસદ સભ્ય મહેન્દ્ર ભાઈ મુંજપરાધારાસભ્ય , ટ્રસ્ટના પ્રમુખ અને જૈન સમાજનાઆગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમ અંતર્ગત શ્રી રૂપાણીએ બાળકોને પોલિયોનાટીપાં પણ પીવડાવ્યા હતા. (AIR NEWS)