સમગ્ર દેશ આજે ભારતીય બંધારણના ધડવૈયા ડોકટર ભીમરાવ આંબેડકરને તેમની 131 મી જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પિત કરી રહ્યું છે.
આ પ્રસંગે દેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે સંસદ પરિસર ભવનમાં બાબા સાહેબની પ્રતિમા પર શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતાં.
એક મહાન સમાજ સુધારક, અર્થશાસ્ત્રી, ડોકટર ભીમરાવ આંબેડકરે પોતાનું સંપૂર્ણ જીવન જનહીત માટે સમર્પિત કરી દીધું.
વંચિત વર્ગો પ્રત્યે સામાજિક અને જાતિગત ભેદભાવ દૂર કરવા માટે તેઓ જીવનભર સંધર્ષ કરતાં રહ્યાં. તેઓને સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી બનાવવામાં આવ્યા હતાં. વર્ષ 1990 માં ડોકટર આંબેડકરને મરણોપરાંત દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે ડોકટર ભીમરાવ આંબેડકર જન્મજયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, માનવધિકારો અને મહિલા સશક્તિકરણના પ્રણેતા અને અર્થશાસ્ત્રી ડોકટર આંબેડકરને અગ્રણી રાષ્ટ્ર્ નિર્માતા માનવામાં આવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતિએ ભારત રત્ન ડોકટર આંબેડકર જયંતિને નમન કરતાં કહ્યું કે, સમાજના વંચિત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાના તેમના પ્રયત્નો દરેક પેઢી માટે ઉદાહરણરૂપ રહેશે. તેમણે કહ્યું કે આજે દેશ માટે તેમના સ્વપનો પૂર્ણ કરવાની પ્રતિબ્ધ્ધાતાનો પુનઃરોચ્ચાર કરવાનો દિવસ છે.
સંસદ ભવન પરિસરમાં કેન્દ્રીય મંત્રાલયો, સાંસદો, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મહાનુભાવો ડોકટર આંબેડકકરને શ્રધ્ધાંજલિ અર્પણ કરી. (AIR NEWS)