સરકારે ખાદ્ય તેલોની વધતી કિંમતો પર નિયંત્રણ લાવવા માટે પામ તેલ, સોયાબીન અને સુરજમુખી તેલના સામાન્ય વેરામાં ઘટાડો કર્યો છે. સરકારે ગયા વર્ષમાં ખાદ્યતેલોની વધતી કિંમતો પર નિયંત્રણ લાદવા માટે પામ, સોયાબીન અને સુરજમુખીના તેલના સામાન્ય વેરાને ર૦પ ટકાથી ઘટાડીને શૂન્ય કરી દીધો છે. આ તેલ પરનો કૃષિ ઉપકર ફુડ પામ તેલ માટે ર૦ ટકાથી ઘટાડી સાડા સાત ટકા, સોયાબીન તેલ અને સુરજમુખી તેલ પર કૃષિ ઉપકર ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે.
આ ઘટાડા બાદ કાચાપામ ઓઇલ પરનો હવે પાંચ ટકા, કાચા સોયાબી અને સુરજમુખી તેલ પર પાંચ ટકા વેરો રહયો છે. સોયાબીન અને સુરજમુખીના રિફાઇન્ડ તેલ પરનો મુળભુત વેરો ૩ર ટકાથી ઘટાડીને સાડા ૧૭ ટકા કરી દેવામાં આવ્યો છે. (AIR NEWS)