A part of Indiaonline network empowering local businesses
Chaitra Navratri

સર્વોચ્ચ અદાલતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્ય સીમીત કરવાનું નકકી કર્યુ

news

સર્વોચ્ચ અદાલતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્ય સીમીત કરવાનું નકકી કર્યુ છે અને સોમવારે ૧પ ખંડપીઠોમાંથી માત્ર છ ખંડપીઠો જ સુનાવણી કરશે. છ ખંડપીઠો પણ માત્ર જરૂરી બાબતો ઉપર જ સુનાવણી કરશે અને આ દરમિયાન સંબંધિત વકીલો સિવાય કોઇને અદાલતમાં પ્રવેશ નહી અપાય. સર્વોચ્ચ અદાલત પાંચમી માર્ચે કેન્દ્ર ધ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા પછી આ મુદેૃ વિચારી રહી હતી. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા કોવીડ-૧૯ ને મહામારી જાહેર કર્યા પછી લોકોને સમુહમાં ભેગા ન થવા સલાહ અપાઇ છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે બધાના સહયોગની આશા રાખી છે. (AIR NEWS)

1497 Days ago