સર્વોચ્ચ અદાલતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાનું કાર્ય સીમીત કરવાનું નકકી કર્યુ છે અને સોમવારે ૧પ ખંડપીઠોમાંથી માત્ર છ ખંડપીઠો જ સુનાવણી કરશે. છ ખંડપીઠો પણ માત્ર જરૂરી બાબતો ઉપર જ સુનાવણી કરશે અને આ દરમિયાન સંબંધિત વકીલો સિવાય કોઇને અદાલતમાં પ્રવેશ નહી અપાય. સર્વોચ્ચ અદાલત પાંચમી માર્ચે કેન્દ્ર ધ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા પછી આ મુદેૃ વિચારી રહી હતી. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા કોવીડ-૧૯ ને મહામારી જાહેર કર્યા પછી લોકોને સમુહમાં ભેગા ન થવા સલાહ અપાઇ છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતે બધાના સહયોગની આશા રાખી છે. (AIR NEWS)