ચીનના હુબેઇન પ્રાંતમાં કોરોના વાયરસના લીધે વધુ 91 લોકોના મોત નીપજતા, આ રોગચાળામાં મૃત્યુ પામનારની સંખ્યા વધીને 902 થઇ છે.
હુબેઇના આરોગ્યપંચે જણાવ્યું છે કે કોરોના ના નવા બે હજાર 618 કેસો નોંધાયા છે.
આમ, સમગ્ર ચીનમાં કોરોનાના કેસોની સંખ્યા 39 હજાર 800 થઇ છે.
ચીનની બહાર હોંગકોંગ અને ફિલીપાઇન્સમાં 1-1 વ્યકિતના કોરોનાના લીધે મોત થયાના અહેવાલ છે.
ભારતે કોરોના વાયરસનો સામનો કરવામાં મદદ કરવાની ચીનને ઓફર કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જીનપિંગને પાઠવેલા પત્રમાં કોરોના વાયરસના લીધે નાગરિકોના નીપજેલા મોત અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે હુબેઈ પ્રાંતમાંથી ભારતીયોને સલામત રીતે સ્વદેશ પાછા મોકલવામાં ચીને કરેલી મદદની પ્રશંસા કરી હતી. (AIR NEWS)